Posts

Showing posts from August, 2025

અપરિગ્રહ – એક સુંદર જીવન સૂત્ર

Image
 નાના હતાં  ત્યારે ગાંધીજીનું આ સૂત્ર ભણવામાં આવતું.   સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું નવ સંઘરવું ,  બ્રહ્મચર્ય અને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું.  અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવાં  એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવાં     વણજોઈતું નવ સંઘરવું   એ સિદ્ધાંત નું દૃઢ પાલન એ જ મારી દ્રષ્ટિએ અપરિગ્રહ.   પરંતુ આનો સાચો મતલબ તો જીવનમાં અનુભવ થતાં જ સમજાયો. એમાં પણ પતંજલિ યોગ સૂત્ર (PYS) ના અભ્યાસ થી આ concept એકદમ પાક્કા પાયે ખબર પડી.    અપરિગ્રહ નું practical મહત્વ આટલું જીવનોપયોગી હશે એવી કલ્પના પણ નહોતી. આપણને બધા ને ભવિષ્ય ની insecurities ને લઇ ને ઘણું બધું સંઘરવાની આદત હોય છે. ક્યારેક આપણી આ વૃત્તિ ને પોષવા "સંઘરેલો સાપ પણ કામમાં આવે" એવું કહી સમર્થન આપતા હોઈએ છે. હા, એ કહેવત બિલકુલ ખોટી નથી. પણ ક્યારે, શું અને કેટલું સંઘરવું – એ નક્કી કરવા માટે વિવેક બુદ્ધિ આવશ્યક છે. માત્ર આ કહેવતના આધારે અનાવશ્યક વસ્તુઓ ભેગી કરે જ જવી એ આપણી વિવેક બુદ્ધિનું સ્તર કઈ સ્થિતિમાં છે તે દર્શાવે છે. ...